જાણવા જેવું

માત્ર એક મહિના ના માસૂમ બાળક નું માતાપિતા એ મંદિર માં દાન કરી દીધું પછી જે થયું તે જાણી ને…

હરિયાણાના હિસાર જિલ્લા માં એક માતાપિતાએ સમાધા મંદિરમાં સાધુત્વ માટે માત્ર 30 દિવસના નવજાત શિશુનું દાન આપ્યું હતું. જ્યારે આ વિચિત્ર ધાર્મિક કાર્યક્રમ યોજાયો અને મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે સિસા પોલીસને પણ તેની જાણ થઈ. જેના કારણે બાળક બચી ગયો.

સિસા પોલીસ ચોકીના ઇન્ચાર્જ વેદપાલ નાને ગુરુવારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક સંદેશ વાયરલ થયો છે. સંદેશ મુજબ સમાધિ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડુડલ પાર્કના રહેવાસી ફળ વેપારીએ પોતાના એક મહિનાના બાળકને મંદિરમાં અર્પણ કર્યું હતું. મંદિરમાં મહંતો અને પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ કર્યા બાદ બાળકનું નામ નારાયણ પુરી રાખવામાં આવ્યું.

આ મામલો ધ્યાનમાં આવતા પોલીસ સ્ટાફે તાત્કાલિક મોટા પોલીસ અધિકારીઓને સમગ્ર મામલે માહિતગાર કર્યા હતા, ત્યારબાદ એસપી નીતીકા ગેહલોતને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને એસએચઓને આ કેસમાં કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
એસપીનો આદેશ મળતાં પોલીસે પરિવાર અને મંદિરના મહંતને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.

ચોકી પર બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, પરંતુ પોલીસે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કેસ હાથ ધરીને પરિવારને સમજાવ્યું કે આવા નાના બાળકને કોઈ પણ વ્યક્તિ, મંદિર અથવા સંસ્થાને આપી શકાતા નથી અને આ ગેરકાયદેસર છે. ત્યારબાદ કાર્યવાહીની સમજ આપી હતી. આ પછી પોલીસ કાર્યવાહી ની બીક જોઈને પરિવારે બાળકને મંદિરથી પાછો લઈ લીધો હતો.

પરિવારે બાળક ને પોલીસ સમક્ષ લેખિત લખી ને ઉછેરવાનું વચન આપ્યું હતું. આ સાથે જ મંદિર વહીવટીતંત્રને પણ પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. મંદિરના મહંત પંચમ પુરીએ જણાવ્યું હતું કે લોકો પોતાનું વ્રત પૂર્ણ થતાં મંદિરમાં બાળકને અર્પણ કરે છે. કેટલાક મહિના પહેલા આવા એક પરિવાર દ્વારા એક બાળકને મંદિરમાં દાન કરવામાં આવ્યું હતું, જેનું નામ પૂનમ પુરી રાખવામાં આવ્યું છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago