ધાર્મિક

એક એવું મહાદેવ મંદિર કે જયાં ૬૦૦ વર્ષ જૂનું ઘી છે, ક્યારેય બગડ્યું નથી, ફુગ નથી લાગી, જીવાત પણ નથી પડી

ખેડા જિલ્લાના રઢુ ગામમાં ૬૫૦ જેટલા કાળા માટલામાં ઘી સચવાયેલું છે, ફુગ નથી લાગી, જીવાત પણ નથી પડી, સતત ઉપયોગ થતો હોવા છતાં ખૂટતું પણ નથી

મધ્ય ગુજરાતના ખેડામાં એક એવું મહાદેવનું મંદિર આવેલું છે કે જ્યાં ૬૦૦ વર્ષ જૂનું ઘી સચવાયેલું પડ્યું છે. આ ઘી ઓછું થતું નથી. ક્યારેય બગડતું નથી. જીવાત કે ફુગ પડતી નથી. કુદરતી રીતે આ ઘી તરોતાજા જોવા મળે છે. આ મંદિરમાં ૬૫૦ જેટલા કાળા માટલામાં આ ઘી સચવાયેલું છે.

અમદાવાદથી ૫૦ કિલોમીટર દૂર ખેડા જિલ્લાના રઢુ ગામ વાત્રક નદીના કાંઠે આવેલું છે. આ ગામના કામનાથ મહાદેવના મંદિરમાં પુરાણોથી ઘી ભરેલાં માટલા સાચવી રાખવામાં આવ્યા છે. મંદિરના ઓરડામાં આ ઘી સચવાયેલું છે અને ક્યારેય ખૂટતું નથી. આ ઘી માંથી દીવા કરવામાં આવે છે. મંદિરના સંચાલકો કહે છે કે આ મંદિરમાં ૧૫૦૦૦ કિલોગ્રામ ઘી છે.

મંદિરમાં પ્રવ્રુલિત જ્યોત તેમજ મંદિરના પ્રાંગણમાં થતાં યજ્ઞોમાં આ ઘીનો ઉપયોગ થાય છે તેમ છતાં તેમાં ઘટાડો થતો નથી. આટલા મોટા જથ્થામાં ઘી એકત્ર થવાનું કારણ એવું છે કે આ ગામ તેમજ તેની આજુબાજુના ગામડાઓઓમાં ખેડૂતના ઘરે ભેંસ કે ગાયનું બચ્ચું જન્મે ત્યારપછી વલોણાનું ઘી બનાવીને મંદિરને દાન કરવામાં આવે છે.

મંદિરનો ઇતિહાસ ૬૦૦ વર્ષથી પુરાણો છે. કહેવાય છે કે આ મંદિર ૧૪૪૫ની સાલમાં બન્યું હતું. આ ગામના જેસંગભાઇ હીરાભાઇ પટેલ મહાદેવની જ્યોત લાવ્યા હતા. તેઓ સવારે મહાદેવના દર્શન કર્યા પછી ભોજન લેતાં હતા. તેઓ પુનાજ ગામમાંથી જ્યોત લઇ આવ્યા હતા. આ ગામ રઢુ થી આઠ કિલોમીટર દૂર છે. તેઓ જ્યારે જ્યોત લાવ્યા ત્યારે વરસાદ અને પવન હોવા છતાં જ્યોતને અસર થઇ ન હતી. આ દિવો સદીઓથી અખંડ રહ્યો છે અને હજી પણ જ્યોત ૨૪ કલાક સુધી હોય છે.

 

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago