સમાચાર

ધૈર્યરાજ માટે આવી ગયું આટલું દાન, હવે તેની દવા કરવા માટે જરૂરી રહેશે આટલા રૂપિયા….

મહીસાગર નો 3 મહિનાનો ધૈર્યરાજ દેખાવમાં તો એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત લાગે છે પંરતુ જ્યારે તે જન્મ્યો ત્યારથી તેના કોઈપણ ભાગનું હલચલન ના થવાને લીધે માતાપિતા એ ડોકટરને બતાવવાનું નક્કી કર્યું હતું.

ધૈર્યરાજ SMA – 1 નામની બીમારીથી પીડાઈ રહ્યો છે અને આ બિમારીથી રાહત મેળવવા માટે આશરે 16 કરોડ રૂપિયાની જરૂર છે. જેના ભાગરૂપે લોકો ગુજરાતના વિવિધ સ્થળોએ થી પૈસા ઉઘરાવી રહ્યા છે. આ સાથે બાળકના માતા પિતા પણ વિવિધ NGOની મુલાકાત લઈને પૈસા ભેગા કરી રહ્યા છે.

હાલ સુધીમાં ધૈર્યરાજને બચાવવા માટે વિવિધ ફંડ ભેગુ કરવામાં આવી રહ્યું છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે આ માસૂમ બાળકનો જીવ બચાવવા માટે અત્યાર સુધી 7 કરોડ જેટલું દાન એકઠું થઇ ગયું છે અને હવે તેને બચાવવા માટે 3 મહિના જેટલો જ સમય બાકી છે.

આ માસૂમ બાળકનો જીવ બચાવવા માટે ગુજરાતના વિવિધ કલાકારો, રાજકીય નેતાઓ આવી રહ્યા છે અને આ બાળકનો જીવ બચાવવા માટે દાન આપી રહ્યા છે. હાલમાં બાળકનો જીવ બચાવવા માટે પચાસ ટકા પૈસા ભેગા થઈ ગયા છે. આવામાં તમે પણ તમારી યથાશક્તી પ્રમાણે દાન કરી શકો છો.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago