સમાચાર

ધૈર્યરાજ માટે આટલા કરોડનું આવી ગયું દાન, હવે માસૂમ બાળકનો જીવ બચાવવા ખૂટે છે ખાલી આટલા રૂપિયા…

આપણે બધા જાણીએ છીએ કે હાલમાં ગુજરાતમાં એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમાં એક માસૂમ બાળક કે જેનું નામ ધૈર્યરાજ સિંહ છે, જે ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. હા, આ માસૂમ બાળકને એક ગંભીર બીમારી છે. જેના માટે આશરે 16 કરોડનો ખર્ચ થઇ શકે છે. જેના લીધે ગુજરાત ના સામાન્ય લોકોથી લઈને રાજકીય નેતાઓ, સેલિબ્રિટી પણ સામે આવીને દાન કરી રહ્યા છે.

મહીસાગર જિલ્લાના કાનેસર ગામના આ માસૂમ બાળકને એવી ગંભીર બીમારી છે કે જેનું ઇન્જેક્શન આશરે 16 કરોડનું આવે છે, જે સ્પેશિયલ અમેરિકામાંથી મંગાવું પડી શકે છે. જેના લીધે તેના માતા પિતા દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી રહી છે.

જોકે ગુજરાત રાજ્યના લોકો પણ માનવતા ના કામ માટે પીછેહઠ કર્યા વિના અથાશક્તી દાન આપી રહ્યા છે. હા, ગુજરાતના સામાન્ય લોકોથી માંડીને રાજકીય નેતાઓ અને સેલિબ્રિટી પણ દાન માટે આગળ આવ્યા છે. જેના થકી હવે ધૈર્યરાજની આ બીમારી દૂર કરવા માટે થોડાક જ પૈસાની જરૂર છે.

તમને જણાવી દઈએ કે ડોકટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ બાળકની સારવાર માટે હજુ 1 વર્ષ બાકી છે. જેના લીધે તેની મદદ માટે આટલા પૈસા એકઠા થઇ શકશે, તેવી પૂરેપૂરી શક્યતા છે. આ માટે લોકો ઓનલાઈન અને ઓફલાઈન દાન આપી રહ્યા છે.

ઘણા સામાજિક સંગઠનો અને ધાર્મિક સ્થળો દ્વારા શહેરમાં દાનપેટી મૂકવામાં આવી છે. આ સાથે ઘણા લોકો તો રોડ પર ઊભા રહીને આ માસુમનો જીવ બચાવવા માટે દાન એકઠું કરી રહ્યા છે. તેમના માતાપિતા દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી હતી કે અમારી તાકાત નથી કે અમે અમારા બાળકનો જીવ બચાવી શકીએ, જેથી તમે અમારી મદદ કરી શકો છો. જેને જોઈને ગુજરાતના લોકો ભાવવિભોર થઇ ગયા છે અને શક્તિ પ્રમાણે દાન આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ધૈર્યરાજ માટે 20 તારીખ સુધીમાં 9 કરોડ જેટલું દાન એકઠું થઈ ગયું છે. જોકે આગમી સમયમાં આ આંકડો વધી શકે છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago