સમાચાર

રશિયન સેનાના મેલિટોપોલ શહેરના મેયરના અપહરણ બાદ લોકો વિરોધમાં રસ્તા પર ઉતર્યા

Ukraine ના શહેર મેલિટોપોલના રહેવાસીઓ રશિયન સૈન્ય દ્વારા મેયરના કથિત અપહરણ બાદ વિરોધ પર ઉતરી આવ્યા છે. યુક્રેનના સત્તાવાળાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રશિયાએ મેલિટોપોલ શહેર ના મેયર ઈવાન ફેડોરોવનું અપહરણ કરવામાં આવ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના નાયબ વડા, કિરીલ ટિમોશેન્કો દ્વારા સૌપ્રથમ આ જાહેરાત કરવામાં આવી હતી. તેમના દ્વારા શુક્રવારના રોજ સોશિયલ મીડિયા સાઇટ ટેલિગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મેયર ઇવાન ફેડોરોવને એક ચોક પર લઈ જતું સશસ્ત્ર માણસોનું જૂથ દેખાડવામાં આવ્યું હતું.

તેની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ એક વીડિયો સંબોધનમાં રશિયા પર આતંકવાદના નવા તબક્કામાં પ્રવેશવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. રશિયન દળો દ્વારા યુક્રેન પરના આક્રમણના બીજા દિવસે 25 ફેબ્રુઆરીના રોજ 150,000 ની વસ્તીવાળા દક્ષિણ બંદર શહેર મેલિટોપોલ પર કબજો કરવામાં આવ્યો હતો. પૂર્વી યુક્રેનમાં મોસ્કો સમર્થિત બળવાખોરોનો વિસ્તાર, લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકની ફરિયાદીની ઓફિસ દ્વારા તેની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું કે, ફેડોરોવ સામે ફોજદારી કેસ થયેલો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ફેડોરોવ દ્વારા થોડા દિવસો પહેલા એક નામી ચેનલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમનું વહીવટીતંત્ર રશિયનો સાથે “કોઈપણ રીતે સહકાર આપવા માટે તૈયાર નથી”. તેમણે જણાવ્યું હતું કે, આક્રમણકારી દળોએ તેમની ઓફિસોમાં તોડફોડ કરી હતી. તેમની ટીમને અન્ય સ્થળે ખસેડવામાં આવી, જ્યાં તેઓ તેમનું શહેર ચલાવવાનું ચાલુ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેલિટોપોલમાં રશિયાના કબજા બાદ દરરોજ વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. શનિવારના સેંકડો લોકો દ્વારા મેયરને મુક્ત કરવાની માંગ સાથે વહીવટીતંત્રની ઇમારતને ઘેરી લેવા આવી હતી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago