ગુજરાત

ગુજરાતના આ 4 શહેરોમાં 31 માર્ચ સુધી રાત્રિ ના 10 થી સવાર ના 6 સુધી લાગ્યો કર્ફ્યૂ

કોરોના ના વધતાં કેસો પર કાબૂ મેળવવા માટે ગુજરાત સરકારે મહાનગરો માં રાત્રિ કર્ફ્યૂ 2 કલાક વધાર્યો છે. નવા નિયમ મુજબ હવે વડોદરા ,સુરત,રાજકોટ અને અમદાવાદ માં રાત્રિ કર્ફ્યૂ નું લોકો એ પાલન કરવાનું રહેશે. અત્યાર સુધી કર્ફ્યૂ ણી લિમિટ રાત ના 12 થી સવાર ના 6 વાગ્યા સુધી હતી.

કોરોના ટાસ્ક-ફોર્સ ની આપના મુખ્ય મંત્રી સાથે ણી મિટિંગ માં આ નિર્ણય લેવામાં આવ્યો છે. “વધતાં જતાં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાત ના 10 થી સવાર ના 6 સુધી ના કર્ફ્યૂ નો નિર્ણય લેવામાં આવ્યો છે” સરકાર દ્વારા આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. અને વધુ માં ઉમર્ત્ય તેમણે જણાવ્યું કે આ નિયમ 31 માર્ચ સુધી લાગુ રહેશે.

ધી ગુજરાત ક્રિકેટ એસોસીએશન દ્વારા પણ જન હિત માં એક નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં યોજાનાર ટી-20 મેચ પણ પ્રેક્ષકો વિના જ રામદવામાં આવશે.

અમદાવાદ મુનસિપાલ કોરપોરેશન પણ સંક્રમણ ને કાબૂ માં લાવવા માટે ના તમામ પ્રયાસો કરી રહ્યું છે. અમદાવાદ મુનસિપાલ કોરપોરેશને શહેર ના વોર્ડ નંબર 8 માં આવતા તમામ લારી ગલ્લા , રેસ્ટોરન્ટ, અને મોલ માલીકો ને રાત્રે 10 વાગ્યે દુકાનો બંધ કરી દેવાની સૂચના આપી છે.

સોમવારે ગુજરાત માં ટોટલ 890 કેસ નોંધાણા હતા, આ સાથે ટોટલ આકડો 2,79,097 પહોંચી ગયો છે. ગયા મહિને રાજ્ય માં રોજ ના અંદાજિત 200 આસપાસ કેસ આવતા હતા , જેની સામે આ મહિને ઘણા વધારે કેસ જોવા મળ્યા છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago