દેશ

Coronavirus Update: ભારતમાં નવા COVID-19 કેસોમાં 12% નો વધારો, છેલ્લા 24 કલાકમાં 2,876 કેસ

Coronavirus Update: ભારતમાં નવા COVID-19 કેસોમાં 12% નો વધારો, છેલ્લા 24 કલાકમાં 2,876 કેસ

Coronavirus Update: દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 2876 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ 29 લાખ 98 હજાર 938 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 98 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 16 હજાર 72 લોકોના મોત થયા છે. આજના આંકડામાં, કેરળના 54 કેસ પણ બેકલોગના આંકડા તરીકે ઉમેરવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, હાલમાં દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 40 હજારથી ઓછી થઈ ગઈ છે. હાલમાં દેશભરમાં 32, 811 એક્ટિવ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ કુલ સંક્રમણના 0.08 ટકા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ વધીને 98.72 ટકા થઈ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 3884 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 24 લાખ, 50 હજાર, 55 લોકોએ આ મહામારીને માત આપી છે.

દેશમાં દરરોજ પોઝીટિવિટી દર હવે ઘટીને 0.38 ટકા પર આવી ગયો છે. સાપ્તાહિક પોઝીટિવિટી દર પણ ઘટીને 0.44 ટકા પર આવી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 78.05 કરોડ સેમ્પલનું ટેસ્ટ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 7,52,818 સેમ્પલનું ટેસ્ટ કરવામાં આવ્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 1,80,60,93,107 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં લોકોને રસીના કુલ 18,92,143 ડોઝ આપવામાં આવ્યા છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago