સમાચાર

મહારાષ્ટ્રમાં કોરોના પ્રતિબંધો હટાવ્યા, ઉદ્ધવ સરકારે માસ્કને લઈને કરી મોટી જાહેરાત

ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેને જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે રાજ્યમાં લાગુ તમામ કોરોના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં મળેલી કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું છે કે, 2 એપ્રિલથી રાજ્યમાં ફેસ માસ્ક પહેરવાનું સ્વૈચ્છિક રહેશે. એટલે કે હવે આ જનતા પર નિર્ભર રહેશે કે તે માસ્ક પહેરે અથવા ના પહેરે.

તેમણે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટોપેએ જણાવ્યું છે કે, મરાઠી નવું વર્ષ નવા ગુડી પડવાથી રોગચાળાના રોગો અધિનિયમ અને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળના તમામ કોરોના સંબંધિત પ્રતિબંધો પરત ખેંચી લેવામાં આવશે. મહારાષ્ટ્રમાં બે વર્ષથી વધુ સમય બાદ ફરજિયાત માસ્ક પહેરવા સહિત રોગચાળા સંબંધિત તમામ પ્રતિબંધો લાગુ છે.

તહેવારો પહેલા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી રાહતના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે ગુડી પડવા 2જી એપ્રિલના છે અને આ દિવસથી પ્રતિબંધોમાં પણ રાહત આપવામાં આવશે. આ દરમિયાન માસ્ક પહેરવું જરૂરી નથી.

મહારાષ્ટ્રના મંત્રી જિતેન્દ્ર આવ્હાડે પણ આ અંગે ટ્વિટ કરી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, રાજ્ય કેબિનેટે રાજ્યમાં હાલના તમામ કોવિડ-19 પ્રતિબંધોને હટાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં તમામ તહેવારો ધામધૂમથી ઉજવી શકે છે, માસ્ક પહેરવું ફરજિયાત રહેશે નહીં. આ નિર્ણય 2 એપ્રિલથી લાગુ થશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago