જાણવા જેવું

ચાણક્યનીતિ મુજબ આ 3 આદતો વાળા માનવીને મળે છે સમાજ મા ખૂબ માન, હોય છે બધા ના પ્રિય

આચાર્ય ચાણક્ય એક ખૂબ સફળ શિક્ષક, કુશળ અર્થશાસ્ત્રી અને મહાન વિદ્વાન હતા. ચાણક્યના નીતિ શાસ્ત્રમાં લખેલી નીતિઓમાં જીવન જીવવાના ઘણા પાસાઓનો ઉલ્લેખ છે. આ નીતિઓ માણસને જીવનમાં સાચા માર્ગ અને ખોટ માર્ગ ઓળખવા માં મદદ કરે છે. ચાણક્ય ની આ નીતિઓ અપનાવીને લોકો સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકે છે અને સમાજ મા ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કરી શકે છે.

આચાર્ય ચાણક્યએ નીતિમાં જણાવ્યું છે કે આટલા ગુણો ધરાવતા લોકોને સમાજમાં ખૂબ આદર મળે છે અને લોકો તેણે સન્માન ની નજરે જોવે છે. ચાણક્ય કહે છે કે વ્યક્તિ એ કોઈ દિવસ માન-સન્માન ને નમતું ન જોખવું જોઈએ. નીતિ શાસ્ત્રમાં ઉલ્લેખિત કેટલીક બાબતોમાં કહ્યું છે કે આદર માટે ઘણા ગુણો જરૂરી છે. સમાજમાં વ્યક્તિને કયા ગુણો થી આદર મળે છે તે જાણો.

આટલી વાત નું ધ્યાન રાખવા માં જો તમને શરમ કે સંકોચ નો અનુભવ થતો હોય તો થઈ શકે છે તમારું જીવન બરબાદ

1.બીજા લોકો ને સન્માન આપો:

ચાણક્ય કહે છે કે બધા લોકો એવું ઇચ્છતા હોય છે કે પોતાને સમાજ માં માન સન્માન મળે. પરંતુ માનસન્માન એ કાઇ કોઈ ની પાસે થી છીનવી ને લઈ શકતું નથી. પોતાને જો માન સન્માન મેળવવાની ઈચ્છા હોય તો બીજા ને પ્રથમ માન સન્માન આપવું પડે છે. દરેક વ્યક્તિએ તેને આદરથી જોવું જોઈએ અને દરેક સાથે સમાન વર્તન કરવું જોઈએ. ચાણક્ય કહે છે કે જે લોકો ની આ ટેવ હોય છે તેને સમાજમાં માન મળે છે.

2. નમ્ર બનો:

ચાણક્ય નીતિ મુજબ માણસે પોતાનું વર્તન હંમેશાં બીજા માટે નમ્ર રાખવું જોઈએ. કોઈ વ્યક્તિ અન્ય લોકો માટે કેવું વર્તન કરે છે તે તેની સફળતા અને આદર માટે પણ મહત્વપૂર્ણ છે. ચાણક્ય કહે છે કે જે વ્યક્તિમાં નમ્રતાનો સ્વભાવ હોય છે, તે સમાજમાં પણ આદર સાથે સફળતા મેળવે છે.

3. સારી સંગત:

ચાણક્ય કહે છે કે મનુષ્ય જે રીતે સુસંગત છે, તે જીવન માં ખૂબ અસર કરે છે. તેથી વ્યક્તિ હંમેશાં સારા અને જાણકાર લોકો સાથે સંગત રાખવી જોઈએ. સારી સંગતમાં રહેતા વ્યક્તિને સમાજમાં સારું માન મળે છે. જો તમે ખરાબ લોકો સાથે રહેતા હશો તો લોકો તમને તમારા સાથી મિત્ર જએવા ખરાબ જ ગણશે.

[quads id=1]

Related Articles

Back to top button