ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સેલેબ્સ છે, જે પહેલા એક બીજાના પ્રેમમાં પાગલ હતા. જો કે હવે બ્રેકઅપ પછી પણ તેઓ સારા મિત્રો તરીકે સાથે રહી રહ્યા છે. આવા સેલેબ્સની સૂચિમાં આશા નેગી, શરદ મલ્હોત્રા, કૃતિકા કામરા, કુશલ ટંડન, નારાયણી શાસ્ત્રી સહિત ઘણા મોટા નામો જાણીતા છે. તો ચાલો આપણે આ વિશે વધુ વિગતે માહિતી જાણીએ.
કુશલ ટંડન અને ગૌહર ખાનની જોડીને ટીવી પર સારી પસંદ કરવામાં આવી હતી. બિગ બોસ સિઝન 7 માં બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં. જો કે, આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહોતો અને આજે પણ બંને સારા મિત્રો માનવામાં આવે છે.
મોહસીન ખાન અને શિવાંગી જોશીની જોડી ખૂબ પસંદ આવી હતી, પરંતુ બાદમાં બંને વચ્ચે અંતર આવી ગયું હતું. જો કે, હજી પણ બંનેને સારા મિત્રો માનવામાં આવે છે.
‘સપને સુહાને ચિકપન કે’ ફેમ રૂપાલી ત્યાગી અને અખલાક ખાન વચ્ચેના બ્રેકઅપ થયાના સમાચાર આવ્યા છે પરંતુ બંને વચ્ચેની મિત્રતા આજ દિન સુધી યથાવત્ છે.
એક સમયે અંકિત ગોર અને અદા ખાનની જોડી ઘણી હેડલાઇન્સ મેળવી હતી પરંતુ બાદમાં બંને વચ્ચે બ્રેકઅપ થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. કહેવાય છે કે આજે પણ તે બંને સારા મિત્રો છે.
જ્યારે દિવ્યાંકા ત્રિપાઠી અને શરદ મલ્હોત્રા વચ્ચેના બ્રેકઅપના સમાચાર આવ્યા ત્યારે ચાહકો પક નિરાશ થઈ ગયા હતા. જોકે આ બંનેની મિત્રતા આજે પણ અકબંધ છે.
નારાયણી શાસ્ત્રી અને ગૌરવ ચોપરાનું પણ બ્રેકઅપ થઈ ગયું છે પરંતુ બિગ બોસ સીઝન 10 માં બંને ફરી સારા મિત્રો બની ગયા છે.
એક સમયે કૃતિકા કામરા અને રિઝન કુંદ્રાની જોડી ઘણી હેડલાઇન્સ બની હતી. જોકે, બાદમાં બંને વચ્ચે બ્રેકઅપ થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. જોકે આજે પણ બંને સારા મિત્રો માનવામાં આવે છે.
રાહુલ મહાજન અને ડિમ્પી ગાંગુલીએ હવે છૂટાછેડા લઈ લીધા છે, પરંતુ આજે પણ તે બંને સારા મિત્રો માનવામાં આવે છે.
આશા નેગી અને રુંત્વિક ધંજાની એક સમયે ઓનસ્ક્રીન યુગલો માનવામાં આવતા હતા. જોકે, રીયલ લાઇફમાં પણ બંનેના લવ ઇશ્યૂ હેડલાઇન્સમાં હતા પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. પરંતુ આજે પણ તેઓ સારા મિત્રો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…