બોલિવૂડ

બોલીવુડ હસ્તીઑ પર દેખાણી કોરોનાની અસર, સુરક્ષાટીમ અને ડિઝાઇનર કપડાં ખરીદી પર મૂક્યો કાપ, અમૂકે તો મિલકત પણ વેચી દીધી

છેલ્લા 12 થી 15 મહિનામાં, કોરોનાએ દેશમાં જે વિનાશ કર્યો છે તેનાથી મધ્યમ અને નીચલા વર્ગના પરિવારોની જ આર્થિક સ્થિતિ ખરાબ નથી થઈ પરંતુ ગ્લેમરસ અને ચમકતા દેખાતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર પણ હચમચી ગયા છે.

પરિસ્થિતિ એવી છે કે છેલ્લા એક વર્ષમાં ઘણા નાના કલાકારોએ માયાનગરી ગણાતા મુંબઈને વિદાઇ આપી છે. સ્ટાર્સે તેમના ઘરની સુરક્ષા પણ ઓછી કરી, ડિઝાઇનર કપડાં પહેરવા પર પણ કાપમૂકી દીધો છે. કેટલાક લોકોને તેમની જીવનશૈલી જાળવવા માટે મિલકતો પણ વેચવી પડી હતી.

તેનાથી ગંભીર એક વાત એવી છે કે ઘણા બોલિવૂડ સેલેબ્સે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ભારે રોકાણ કર્યું છે. કોરોનામાં કમાવાના રસ્તા બંધ થતાં આવી જગ્યાએ રોકાણ દ્વારા કમાણી કરવાની ઘણી તકો શોધી હતી.એવા કેટલાક સ્ટાર્સ છે કે જેમના પર કોરોના અને લોકડાઉનની વધારે અસર થઈ ન હતી, પરંતુ આ સિવાય બાકીના ઉદ્યોગ પર જે કટોકટી સર્જાઈ રહી છે તેનાથી આખું બોલીવુડ પરેશાન થઈ રહ્યું છે. 2021 ની શરૂઆત એ કેટલીક અપેક્ષાઓ ઉભી કરી હતી.

બોલીવુડના ઘણાં પ્રોડક્શન હાઉસએ થિયેટરો અને મલ્ટિપ્લેક્સમાં પાછા ફરવાની રાહમાં તેઓએ તેમની ફિલ્મ્સ રિલીઝની તારીખોની પણ જાહેર કરી હતી, પરંતુ છેલ્લા 15-20 દિવસમાં કોરોનાની બીજી લહેરના કારણે, પ્રોડ્યુસર્સ ફરીથી પાછા જતાં જોવા મળે છે. આવી સ્થિતિમાં આ વર્ષની શરૂઆતમાં પણ પરિસ્થિતિઓમાં સુધારો થતો જોવા મળતો નથી.

ફિલ્મોમાં ઘટાડો થયો હોવાથી આવકમાં પણ થયો 80%નો ઘટાડો.

2019માં બોલીવુડમાં ટોટલ 1833 ફિલ્મ્સ રિલીઝ થઈ હતી, જ્યારે 2020 માં ફક્ત 441 ફિલ્મો જ રિલીઝ થઈ. ફિલ્મોની થિયેટરની આવકમાં પણ 80%નો ઘટાડો થયો. એફઆઇસીસીઆઈ દ્વારા તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે મનોરંજન ક્ષેત્રની કુલ આવકમાં 24% ઘટાડો થયો છે.

હવે સ્ટાર્સ ડિઝાઇનર કપડાંની ઓછી માંગણી કરી રહ્યા છે. શૂટિંગ ઉપરાંત સ્ટાર્સ રેડ કાર્પેટ, પાર્ટીઓ, ખાસ મીટિંગ્સ અથવા ઇવેન્ટ્સ માટે ડ્રેસ ઓર્ડર આપતા હતા. એક ડ્રેસની કિંમત દસ હજાર રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધીની હોય છે. સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર, બાજીરાવ મસ્તાની અને રામલીલા કોસ્ચ્યુમ ડિઝાઇનર અંજુ મોદી કહે છે કે દરરોજ પહેલા હું અભિનેતાઓના ડ્રેસ ઓર્ડર મેળવતી હતી, પરંતુ કોરોના યુગમાં બધું અટકી ગયું છે. ઓર્ડર અડધા થઈ ગયા છે. આને કારણે મારે મારા સ્ટાફને 50% ઘટાડવો પડ્યો.

દેશના સૌથી પ્રાચીન સિક્યોરિટી એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ ગુરચરણસિંહ ચૌહાણ કહે છે કે, આખા દેશમાં આપણી સલામતીના પાંચ ટકા બોલીવુડ-મનોરંજનમાં કામ કરે છે, જે કોરોનાને કારણે 50 ટકાનો ઘટાડો થયો છે, કારણ કે ક્રાઉડ, પાર્ટી, ફંક્શન બધા બંધ છે. સૌથી ઉપરથી સરકારે તેમને મફત રસીઓ આપવાના લિસ્ટમાં પણ શામેલ કર્યા નથી.

ટાઇગર સિક્યુરિટી એજન્સીના આર.કે. દુબેએ જણાવ્યું હતું કે મોટા સ્ટાર્સ કોઈ કાર્યક્રમ દરમિયાન 10-12 બાઉન્સર્સ અથવા સિક્યુરિટી ગાર્ડ લેતા હતા. તે અત્યારે બંધ થઈ ગયું છે. કેટલાક સ્ટાર્સના ઘરે 20 સુરક્ષાકર્મચારીઓ પહેલા રહેતા હતા એ હવે પાંચથી પણ ઓછા સુરક્ષાકર્મચારીઓ રાખી રહ્યા છે.

મુંબઇની પ્રમુખ ઇદાફા ઈન્વેસ્ટમેન્ટ કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર નિખત અશરફ અહમદ મોહમ્મીને  કહે છે કે મુંબઈના શ્રીમંત વર્ગ (જેમાં બોલીવુડ અને મનોરંજન ક્ષેત્રના ગ્રાહકો પણ છે) કોવિડમાં એટલું રોકાણ કર્યું કે પહેલા આવું રોકાણ ક્યારેય કર્યું નથી. સેલિબ્રિટીઝએ ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આમાં 3-4 વર્ષમાં તેઓ 6 ગણા વધારે પૈસા મેળવે છે. આ સિવાય સેલિબ્રિટીઓએ સ્ટોક એક્સચેંજ (ઇક્વિટી)માં પણ રોકાણ કર્યું હતું.

નિખાટના કહેવા પ્રમાણે, જમીનમાં કોઈ આવક નહોતી અને કોઈ ક્યાંય જઇ પણ શકતું ન હતું. સેલિબ્રિટી વિભાગ તેના નાણાં અહીંથી ત્યાં જમા કરાવીને આવા રોકાણો કરી રહ્યા હતા જેથી તેઓ આવતા વર્ષોમાં ફાયદાકારક બને. અમારી કંપની પાસે કોવિડમાં એક મિનિટનો પણ સમય નહોતો. આ બધા કામ ફોન અને ઇમેઇલ દ્વારા કરવામાં આવતા હતાં. અમે છેલ્લા ઘણા વર્ષોમાં આટલું રોકાણ કામ કર્યું નથી. લોકોએ રિલાયન્સ, ઓલા, જમાટો અને ફાર્મા જેવી કંપનીઓના શેરમાં રોકાણ કર્યું.

અભિનેતા પિયુષ મિશ્રા કહે છે કે ઇસ્ટાબલિશ સ્ટાર્સની સમાન સમસ્યા છે કે તેઓ હતાશામાં છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. તેનાથી વિપરિત, જે લોકો દૈનિક આવક મેળવીને કમાય છે તે ખરાબ સ્થિતિમાં છે. કેટલાક લોકોએ મિલકત પણ વેચી દીધી છે. મારી આજુબાજુના ઘણા લોકો મુંબઈ છોડીને તેમના શહેરો પાછા જતાં રહ્યા છે.

ભારતીય ટીવી અને ટેલિવિઝન પ્રોડ્યુસર કાઉન્સિલ ટીવી અને વેબ સિરીઝના અધ્યક્ષ જેડી મજીઠીયાએ કહ્યું કે ટીવી કલાકારોનો મોટાભાગનો ખર્ચ જીવનશૈલી જાળવવા માટે કરવામાં આવે છે. ડ્રેસ, પાર્લર, મોંઘી હોટલોમાં ભોજન, પગરખાં અને બીજા આવા ઘણા ખર્ચ હવે ઓછા થયા છે.

કોમલ નાહટા કહે છે કે બી ગ્રેડના કલાકારોના ખર્ચ ઘટાડી શકાતા નથી કારણ કે તેમની જીવનશૈલી તેમની મજબૂરી છે, પરંતુ તેમની કમાણીમાં ઘટાડો થયો છે. બી ગ્રેડથી નીચેના કલાકારોની હાલત ખરાબ બની છે. તેઓ કાં તો લોન લઈ રહ્યા છે, અથવા તેમને કરેલી બચત વાપરી રહ્યા છે અને સંપત્તિ વેચી રહ્યા છે. તેમના જીવનમાં એક વાસ્તવિક ઉથલ પાથલ છે કારણ કે આ સમયમાં કલાકારો રોજિંદા કમાણી કરતાં હોય છે.

ફિલ્મના પ્રોડ્યુસર વિશ્લેષક ગિરીશ વાનખેડેના જણાવ્યા અનુસાર, એ ગ્રેડના કલાકારો બે વર્ષ અગાઉ કરાર પર સહી કરીને ફીના 25% જેટલા પૈસા લે છે, પરંતુ આવું કરનારાઓ જ અભિનેતા ગણાય છે. આ સિવાય 70 ટકા ઉદ્યોગ દૈનિક કમાણી પર ચાલે છે. તેમને દૈનિક કામ પ્રમાણે પગાર મળે છે. ઘણા બી ગ્રેડ એક્ટર્સ જેમની પાસે બે કે ત્રણ ફ્લેટ હતા તેઓએ પોતાનું ગુજરાન ચલાવવા માટે તેમની મિલકત વેચી દીધી છે. આ સિવાય પાર્ટીમાં જવું, પાર્ટીનું હોસ્ટિંગ કરવું, પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું આવું બધુ બંધ કરી દીધું છે.

આ સ્ટાર્સ પર કઈ અસર થઈ નથી.

વર્ષ 2020 માં ફોર્બ્સની યાદીમાં વિશ્વના ટોપના 10 સૌથી વધુ કમાણી કરનારા અભિનેતામાં ફક્ત ભારતના અક્ષય કુમાર હતા. ફિલ્મ્સ ઉપરાંત, એન્ડોર્સમેન્ટ અને અન્ય સ્રોતોથી વાર્ષિક 362 કરોડની કમાણી કરનાર અક્ષય કુમારઆ યાદીમાં છઠ્ઠા ક્રમે છે.

વર્ષ 2020 માં ફિલ્મ ફીની બાબતમાં ઇન્ડસ્ટ્રીના ટોપ 5 અભિનેતાઓમાં અક્ષય કુમાર, સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન અને અજય દેવગન હતા. ઉપરાંત આમિર ખાને 2020 માં કોઈ ફિલ્મ કરી ન હતી, પરંતુ લાલ સિંહ ચડ્ડાની ફીના આધારે ચોથા નંબર પર આવ્યો હતો. આ મોટા સ્ટાર્સ ફી સિવાય તેઓ ફિલ્મના નફામાં પણ ભાગ લે છે. ફિલ્મના તમામ હકના નફામાં પણ તેમનો ભાગ હોય છે. આવી રીતે તેઓ તેમની જીવનશૈલી જાળવી રાખે છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago