જાણવા જેવુંસ્વાસ્થ્ય

વગર દવાએ માત્ર 5 મિનિટમાં બ્લડપ્રેશર (બી.પી) કોંટ્રોલ કરી કાયમી છુટકારો મેળવવો જબરજસ્ત દેશી ઈલાજ, દવા લેવાનું પણ થઈ જશે બંધ

હાઈ બ્લડ પ્રેશર એક એવી સમસ્યા છે, જેને અંકુશમાં લેવી લોકો માટે ખૂબ જ મુશ્કેલ છે. શું ખાવું ? શું ન ખાવું ? કેવા ફળો લેવા ઘણા બધા નિયમો અપનાવવા પડે છે. તેથી નિયમિત જીવનશૈલી અને આહારની સંભાળ રાખીને આ રોગને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરવા માટે અમે આજે તમને એવા ફળો વિશે જણાવી રહ્યા છીએ જેમના સેવનથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ શકે છે.અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે. તો ચાલો જાણીએ.

તરબૂચ ઓછી કેલરીયુક્ત ફળ મીઠું અને તાજગી આપે છે. તમે તેને તમારા આહારમાં ફળોના કચુંબર અથવા રસના સ્વરૂપમાં સમાવી શકો છો. તેમાં વિટામિન સી અને એ, પોટેશિયમ, એમિનો એસિડ્સ, લાઇકોપીન, સોડિયમ અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે શરીરને હાઈ બ્લડ પ્રેશર સામે લડવામાં મદદ કરી શકે છે.કિવિ પાચનમાં સુધારો, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ત્વચાના આરોગ્યને સુધારવામાં પણ મદદ કરે છે. કિવિ બ્લડ પ્રેશરથી સંબંધિત રોગો જેવા કે સ્ટ્રોક, હાર્ટ એટેક વગેરેથી પણ બચી શકે છે.

બધાને કેરી ખૂબ ગમતી હોય છે કારણ કે તે સ્વાદિષ્ટ હોય છે, પરંતુ, કેરી હાઈ બ્લડ પ્રેશર માટે પણ એક સરસ ફળ છે. આ કારણ છે કે કેરી ફાઇબર અને બીટા કેરોટિનનો એક મહાન સ્રોત છે, તે બંને બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક છે.કેળા એ પોટેશિયમથી સમૃદ્ધ અને સોડિયમ ઓછું હોય છે.ખોરાક, હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ અને સ્ટ્રોકથી બચાવે છે. કેળા એક એવું ફળ છે જે પાચનમાં પણ પ્રોત્સાહન આપે છે, અને હાઈ બ્લડ પ્રેશર સામે લડવામાં મદદ કરે છે.સ્ટ્રોબેરીમાં એન્થોસીયાન્સિન (એન્ટી ઓક્સિડન્ટ સંયોજનો), વિટામિન સી, પોટેશિયમ અને ઓમેગા -3 ફેટી એસિડ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.

પોટેશિયમ યુક્ત આહાર લો જેમાં ખનિજ પદાર્થ હોય. જે હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. પોટેશિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેવા કે વટાણા, પાલક,કોબીજ, લીલા પાંદડાવાળા શાક, કેળા, પપૈયું અને ખજૂર સહિતનું સેવન કરવું જોઇએ
વધતા હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે આ સૌથી બેસ્ટ ઉપાય છે. માટે તમે વરિયાળી, જીરૂ, ખાંડ ત્રણેય બરાબર પ્રમાણમાં લઇને પાઉડર બનાવી લો.

ત્યાર પછી તેને એક ચમચી મિશ્રણ સવારે – સાંજ પીઓ. જેનાથી વધતું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે.
આ ઉપરાંત ઘણા ઘરેલુ ઉપચારો પણ જેનાથી બીપી ને લેવલમાં લાવી શકાય છે જેમ કે,ઘરની રસોઈમાં ઉપયોગમાં આવતી ડુંગરી,લીંબુનો રસ,આદું. લસણને રોજિંદા વપરાશમાં એકવાર લેવાથી પણ બ્લડ પ્રેશરને નિયત્રંણમાં લાવી શકાય છે.

[quads id=1]

Related Articles

Back to top button