દેશ

પાકિસ્તાન નો એક બાળક ભૂલ માં સીમા પાર કરી ને ભારત માં આવી ગયો, ભારતીય સેના એ પછી …

ભારત-પાકિસ્તાન સીમા પર અવાર નવાર એવા બનાવો બનતા હોય છે કે જેમાં ભારતીય સેના તેની દરિયાદિલી બતવામાં સહેજ પણ પાછળ હટતી નથી. બાડમેરમાં આઠ વર્ષિય પાકિસ્તાની બાળકે ભૂલ માં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો . સરહદ પર નજર રાખતા બીએસએફના જવાનોએ તાત્કાલિક આા બાળક ને પાકિસ્તાનને સોંપ્યો હતો.

બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરના ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ એમ.એલ. ગર્ગ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ગર્ગે કહ્યું કે શુક્રવારે સાંજે લગભગ 5.20 વાગ્યે, એક 8 વર્ષનો બાળક અજાણતાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ગયો અને બીએસએફની 83 મી બટાલિયનના બીઓપી સોમરાતની સીમાસ્તંભ નંબર 888/2-એસ નજીક ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો.

તેણે કહ્યું કે જ્યારે બીએસએફ જવાનોએ તેને પકડ્યો ત્યારે તે ડરી ગયો અને રડવા લાગ્યો. બીએસએફ જવાને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને તેને ખાવા માટે ચોકલેટ આપી. બીએસએફના જણાવ્યા અનુસાર બાળકની ઓળખ કરીમ, પાકિસ્તાન નાગર પારકરમાં રહેતો યમનુ ખાનનો પુત્ર તરીકે થયો હતો.

ગર્ગે કહ્યું કે તેમણે પાક રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ બોલાવી હતી અને તેમને નાના ક્રોસિંગ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ સાંજે 7.15 વાગ્યે બાળકને પાછા પાકિસ્તાની રેન્જર્સને સોંપવામાં આવ્યો હતો.

તમને જણાવી દઇએ કે ભારતે ઘણા પ્રસંગોએ ઘણી ઉદારતા રજૂ કરી છે, પરંતુ પાકિસ્તાન નું આ બાબતે વલણ ખૂબ ખરાબ છે. બાડમેરના બિજમેર પોલીસ સ્ટેશન વિસ્તારના 19 વર્ષીય ગૌમરામ મેઘવાલ ગત વર્ષે 4 નવેમ્બરે અજાણતાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી પાકિસ્તાન માં ઘૂસી ગયો હતો, પરંતુ પાકિસ્તાને હજી સુધી તેને ભારતના હવાલે કર્યો નથી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago