ગુજરાત

પતિ એ જેર આપી ને મોત ને ઘાટ ઉતારી દીધી પત્ની ને, એક મહિના બાદ ઉકેલાયું મોત નું સનસનીભર્યું રહસ્ય

ગુજરાત પોલીસે સનસનીખેજ હત્યા કેસનો ખુલાસો કર્યો છે. લગભગ એક મહિના પહેલા ગુજરાતના અંકલેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં એક વ્યક્તિએ તેની પત્નીની ક્રૂર હત્યા કરી હતી. આરોપીએ તેની પત્નીની ટીપાની બોટલમાં સાઈનાઈડનું દ્રાવણ નાખીને તેની હત્યા કરી હતી. પોલીસે રવિવારે આરોપીની ધરપકડ કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે વૈવાહિક વિખવાદને કારણે આરોપીએ ગુનો કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, ઉર્મિલા વસાવા (34) ને છાતીમાં દુખાવાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. શુક્રવારે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા બાદ સનસનીખેજ હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં સાબિત થયું કે વસાવાનું મૃત્યુ સાયનાઇડને કારણે થયું હતું. અંકલેશ્વરમાં એક ફેક્ટરીમાં કામ કરતા જીગ્નેશ પટેલે ઇજેક્શન દ્વારા તેની પત્નીને ઝેર આપ્યું હતું.

આરોપી પતિની ધરપકડ: પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાને સાયનાઇડ આપવામાં આવ્યા બાદ તરત જ તેનું મૃત્યુ થયું હતું અને તે સમયે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો. મહિલાને 8 જુલાઈએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફ હાજર ન હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) તરફથી રિપોર્ટ મળ્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.

[quads id=1]

Related Articles

Back to top button