મનોરંજન

આ છે ભારત નો સૌથી હોશિયાર ચોર: આ ભાઈ એ ખોટી સહી કરી ને વેચી દીધો હતો તાજમહલ અને લાલ કિલ્લો

નટવરલાલનું નામ કોને નથી ખબર? નટવરલાલે તેની જિંદગીમાં એટલી ચોરી અને બનાવટી કાર્યવાહી કરી કે આજે તેનું નામ છેતરપિંડી અને ચોરીનું પ્રતિક બની ગયું છે. ઘણા લોકોની અંદર વિવિધ પ્રતિભાઓ હોય છે. એક સારો ગાયક હોય છે તો સારો ખેલાડી હોય છે. જયારે નટવરલાલ એક શાતિર ચોર હતો. નટવરલાલનો જન્મ 1912 માં થયો હતો. તે બિહારના સિવાન જિલ્લાનો રહેવાસી હતો.

નટવરલાલે ચોરી અને બનાવટીકરણ માટે ઘણા નામ રાખ્યા હતા. તેનું અસલી નામ મિથલેશ કુમાર શ્રીવાસ્તવ હતું. ઘણા લોકો કહે છે કે નટવરલાલના 50 થી વધુ નામો હતા. આ નામોની મદદથી તે અનેક છેતરપિંડી કરતો હતો.

નટવરલાલે 1 હજાર રૂપિયાથી ચોરીની શરૂઆત કરી હતી. તે સહી કરવામાં નિષ્ણાત હતો. નટવરલાલ કોઈના પણ જેવી કોપી ટુ કોપી કરી શકતો હતો. તેણે પાડોશીની બનાવટી સહી કરીને તેની બેંકમાંથી 1 હજાર રૂપિયા કાઢી લીધા હતા. અભ્યાસ કર્યા બાદ તે વકીલ બની ગયો હતો. તેને વકીલનો વ્યવસાય પસંદ નહોતો. આ પછી તેણે બનાવટી અને છેતરપિંડીનો માર્ગ અપનાવ્યો.

નટવરલાલે ઘણા લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. તે ફરાર થવામાં ઘણો માહિર માણસ હતો. પોલીસના હાથે ઝડપાઇ ગયા બાદ પણ તે છટકી જતો હતો. નટવરલાલ કામ ચલાઉ મુજબ અંગ્રેજી બોલી શકતો હતો. નટવરલાલ રંગીન વ્યક્તિ હતા. તેની ગોળ મટોળ વાતો કોઈપણને તેના નિયંત્રણમાં લઈ શકતો હતો. તેમણે ઘણા મોટા ઉદ્યોગપતિઓને છેતર્યા. તમે નહીં માનો પણ તે સાચું છે કે નટવરલાલે તાજમહેલ અને લાલ કિલ્લાને ઘણી વખત વેચો. તેને અહીં બહારથી આવેલા વિદેશીઓને વેચ્યો હતો.

તેની છેતરપિંડીની કોઈ મર્યાદા નહોતી. તેને ભારતનું રાષ્ટ્રપતિ ભવન પણ વેચી દીધું હતું. તેને આ બધું રાષ્ટ્રપતિની ખોટી સહી કરીને વેચ્યું હતું. શરૂઆતના દિવસોમાં નટવરલાલ વકીલ તેમજ પટવારી તરીકે કામ કરતા હતા. નટવરને આ નોકરીમાં મન લાગ્યું ન હતું, તે બીજા કોઈ હેતુ માટે હતો. નટવરલાલ તેના જીવન દરમ્યાન ઘણી વખત પોલીસના હાથે ઝડપાયો હતો અને કેટલીકવાર તે છટકી ગયો હતો.

નટવરલાલે પર છેતરપિંડી અને બનાવટી કાર્યવાહી માટે 8 રાજ્યોમાં 100 થી વધુ કાર્યવાહીઓનો સામનો કરવો પડ્યો હતો. 70, 80 અને 90 ના દાયકામાં તેનું નામ ભારતભરમાં લોકપ્રિય થયું હતું. તેને આ દરમિયાન ઘણા મોટા ઉદ્યોગપતિઓને નિશાન બનાવ્યા. નટવર લાલની આ દુષ્કર્મને કારણે તેમને 111 વર્ષની સજા ફટકારાઈ હતી. આ હોવા છતાં, તે ઘણી વખત છટકી ગયો હતો.

2004 માં નટવરલાલનું નામ છેલ્લ વાર આવ્યું હતું. આ દરમિયાન વકીલએ જણાવ્યું હતું કે નટવર લાલ તેને તેનું વસિયતનામું આપ્યું છે. નટવર લાલની મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું? તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. ઘણા લોકોનું કહેવું છે કે તેનું મૃત્યુ 2009 માં થયું હતું. જયારે, તેમના પરિવારે દાવો કર્યો છે કે નટવરલાલનું 1996 માં જ મૃત્યુ થયું હતું.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago