સમાચાર

અમદાવાદ ખાતે બનશે 1000 કરોડના ખર્ચે દુનિયાનું સૌથી મોટું ઉમિયા માતાજી મંદિર, પાટીદાર સમાજ માટે ગૌરવની વાત…

અમદાવાદમાં વૈષ્ણવ દેવી સર્કલ પાસે એસ.જી. હાઇવે પર 100 વિઘામાં 1000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિર બનવા જઈ રહ્યું છે. જેની સમગ્ર જવાબદારી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હસ્તગત છે. આ ઉમિયા ધામ એક પાટીદાર સમાજ માટે આસ્થાનું પ્રતીક બનશે. જેને લઇને હાલમાં પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ છે. આ માં ઉમિયા મંદિરનો શિલાન્યાસ 28-29 ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

એસ. જી. હાઇવે પર આવેલા આ મંદિરનું સમગ્ર સંચાલન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મંદિર 1000 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જે દુનિયાના સૌથી મોટા મંદિર તરીકે નામના મેળવશે.

આ મંદિર આશરે 100 વીઘા જમીનમાં તૈયાર કરવામાં આવશે. જેમાં બધી જ સુવિધાઓ અત્યાધુનિક રહેશે. આ સિવાય આવું એક પણ મંદિર પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતું નથી, જેના લીધે આ મંદિર દુનિયાનું સૌથી મોટું મંદિર ગણાશે.

28 તથા 29 ફેબ્રુઆરી 2020ના દિવસે આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં 3 લાખ ભક્તો આવ્યા હતા. આ સિવાય દિગ્ગજ નેતાઓ, રાજકારણીઓ, મહંતો, સંતો વગેરે આવ્યા હતા. આ વિશેષ પ્રસંગે મહંત સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago