સમાચાર

આઇશા ના કેસમાં કરવામાં આવી પતિની ધરપકડ, ત્યારે પતિએ જે કહ્યું તે જાણવા જેવું છે….

અમદાવાદ શહેરમાં સૌથી વધુ ચર્ચાનું કારણ બનેલા આઇશાના કેસમાં તેના પતિને રાજેસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને તેને અમદાવાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આયશાના પતિનું નામ આરીફ ખાન છે.

હાલમાં આઈશાના પતિ માટે પોલીસ ટીમે 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પંરતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે. હા, તમને જણાવી દઈએ કે આઇશાએ થોડાક સમય પહેલા સાબરમતી નદીમાં કૂદકો લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

આ સમય દરમિયાન આઇશાએ એક વીડિયો પણ બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો હતો. હા, આ વીડિયો ઘણી જગ્યાએથી શેર કરવામાં આવ્યો હતો. ત્યારથી પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં હતું અને છેવટે આરીફ ખાનને રાજેસ્થાન માંથી ધરપકડ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન આરીફ ખાને એક નવો ખુલાસો કર્યો છે.

હાલમાં અમદાવાદમાં ચાલી રહેલા આઈશા કેસમાં એક નવો વળાંક પણ સામે આવી રહ્યો છે. હા, આ કેસમાં આઇશાના મામાના દીકરા આસિફ નું નામ પણ સામે આવ્યું છે. ત્યારથી આ કેસમાં વધુ ખળભળાટ મચી ગઇ છે.

આરોપી પતિ આરીફ ખાનની પત્ની આઇશા પોતાના ચરિત્રો પર શંકા હતી, જેના લીધે આઇશા ને તે ત્રાસ આપતો હતો. આ સાથે આઇશાના પેટમાં રહેલા બાળકને લઈને પણ ઘણા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આસિફ આઇશાના મામાનો છોકરો છે.

આઇશાના પેટમાં રહેલ બાળકને લઈને આરોપી પતિ આરીફે ખુલાસો કરતા કહ્યું કે તેના પેટમાં રહેલા બાળક મારું નહિ પંરતુ આસિફનું છે. તાજેતરમાં આવો નવો વળાંક આઇશાના કેસમાં જોવા મળી રહ્યો છે. પોલીસ પણ આ કેસ અંગે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે અને આસિફ ખાન વિશે પણ વિગતે જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago