સમાચાર

ફુલ જેવી બે સગી બહેનોને જેરી સાપ કરડતા થયુ મૃત્યુ

ઘર આંગણામાં રમતી દીકરીઓની જીવન યાત્રાની અણધારી વિદાય થતાં ગમે તેટલા પથ્થરદિલ માં બાપ કેમ ના હોય તો પણ ઢીલા પડી જાય છે આવી જ એક ઘટના ગુજરાતના ગિર સોમનાથના લામધાર ગામમાં બની છે. પરિવારમાં બે દીકરીઓના સાથે જીવ જતાં આભ તૂટી પડ્યું.

ગીર સોમનાથ જિલ્લાના ઉના ગામમાં બસ સ્ટેશન નજીક રહેતા ભરતભાઈ રામભાઈ બાંભણીયાને ત્રણ દીકરીઓ અને એક દીકરો આમ ચાર સંતાનો છે. પરિવારમાં મોટી દીકરી નિધીબેન (ઉ.વ.13) તેમજ વાનિકા (ઉ.વ.10) ગઇરાત્રી દીકરી પરીવાર જમીને રૂમમાં સૂઈ ગઈ હતી, ઘરમાં અચાનક સાપ આવી જતાં દીકરીઓને રૂમમાં જ સૂતેલી હતી.

ત્યારે જ કરડતા દિકરીઓના અવાજથી પરિવાર જાગી ગયો હતો અને સપના ડંખના ઇલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવી હતી જ્યાં દીકરીઓની તબિયત વધુ બગડતા ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. સાપના ડંખથી દીકરીઓ મોતને ભેટી આ વાતથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. આ સમગ્ર  ઘટનાની જાણ ગામ થતાં જ ગામમાં ભયનો માહોલ પેદા થયો છે. ઘરમાં જ સાપ સંતાયો હોવાની જાણ થતાં જ ઘરમાં શોધી સાપને મોતને ઘાટ ઉતાર્યો હતો.

 

[quads id=1]

Related Articles

Back to top button