Editorialસ્વાસ્થ્ય

વગર ખર્ચે અને દવાએ ડેન્ગ્યુના તાવમાં ઘટી ગયેલા કણ અને ડાયાબિટીસ માંથી મળી જશે કાયમી છુટકારો, જાણી લ્યો અહી ક્લિક કરી

આર્યુવેદીક શાસ્ત્રમાં પપૈયાંના ફળને સ્વાસ્થ્ય વર્ધક કહ્યું છે. કબજીયાતની સમસ્યા રહે છે તેઓ માટે તે ઉત્તમ સાબિત થાય છે તેવી જ રીતે તેના પાંદડા પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે . પાનનો રસ ડેંગ્યુ તાવ માટે એક અસરકારક ઉપાય છે. ડેન્ગ્યુનો તાવ લોહીની પ્લેટલેટની ગણતરીને ઓછું કરે છે અને પપૈયાના પાનનો અર્ક પ્લેટલેટની ગણતરીમાં વધારો કરવામાં મદદ કરે છે.

પપૈયાના પાનમાં લાઇકોપીન હોય છે જેમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. તે કેન્સર-કોષની વૃદ્ધિ અને વધુ મુશ્કેલીઓ અટકાવવામાં મદદ કરે છે. અભ્યાસ અનુસાર પપૈયાના પાનનો અર્ક કોલોન અને પ્રોસ્ટેટ કેન્સરમાં અસરકારક છે.પપૈયાના પાંદડા પાણી અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે પાચનમાં મદદ કરે છે. પપૈયામાં હાજર પેપૈન પ્રોટીન તોડીને પાચન પ્રક્રિયામાં મદદ કરે છે.

પપૈયાના પાંદડાઓમાં ફિનોલિક સંયોજનો, પેપૈન અને આલ્કલોઇડ્સ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે વિવિધ વિટામિન અને એન્ટીઑક્સીસડન્ટનો સમૃદ્ધ સ્રોત છે જે શરીરને મજબૂત બનાવે છે.ડાયાબિટીઝનું જોખમ ઘટાડવા માટે પપૈયાના પાન ફાયદાકારક છે. જો પપૈયાના પાંદડાની પેસ્ટ બનાવી અથવા તેનો રસ પીવાથી લોહીમાં શર્કરાના સ્તરને જાળવવામાં મદદ મળે છે.

પપૈયાના પાન પીસીને રસ કાઢે તો રસમાં કેલરી ઓછી હોય છે. અને ફાઈબર વધારે હોય છે જે પેટને લાંબા સમય સુધી સંતુલિત રાખે છે. તેમાં કુદરતી રીતે બનતા ડાયેટ ફાઇબર શરીરને ડિટોક્સિફાઇઝ કરે છે અને મેટાબોલિઝમ વધારે છે, જેનાથી વજન ઓછું થાય છે.પપૈયાના પાંદડા અને બીજ ગર્ભાશયના સંકોચનને ઘટાડીને પીરિયડ્સ દરમિયાન પીડાનાં લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે. પપૈન, પપૈયામાં હાજર એક એન્ઝાઇમ, ગર્ભાશયમાંથી લોહીની સરળ બહાર કાઢવામાં મદદ કરે છે.

પપૈયાંના પાનનો જૂસ બનાવવા માટે સૌપ્રથમ ૮ થી ૧૦ કુમળા પપૈયાના પાન ભેગા કરી તેના નાના નાના ટુકડા કરી બ્લેન્ડર ની અંદર તેને પીસી ત્યારબાદ ગરણી કે કાપડ વળે તેને ગાળી લો ત્યાર પછી તેનું સેવન કરો અથવા તો તમારી સ્કિન પર કે મસ્તિષ્ક ઉપર લગાવી ખોડાની સમસ્યાથી રાહત મેળવો

પપૈયાના પાંદડાઓમાં વિવિધ પોષક તત્ત્વોની હાજરીને કારણે, તેઓ ત્વચા પર અસરકારક રીતે કાર્ય કરે છે અને ત્વચાને સાફ રાખવામાં મદદ કરે છે. આ પાંદડાઓમાં ભેજયુક્ત અસરો વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ કરે છે.

પપૈયાના પાનનું સેવન કરવાથી ઘણી બીમારીઓ અટકાવવામાં ફાયદાકારક છે, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર કરો. આવી વધુ વાંચવા માટે જોડાયેલા રહો.

[quads id=1]

Related Articles

Back to top button