વ્યવસાયસમાચાર

નવું ઘર ખરીદવા વાળા ને મળશે છૂટ, હોમ લોન ના વ્યાજ દરો માં કર્યો ઘટાડો, જાણી લ્યો અહી ક્લિક કરી વિગતે માહિતી..

50 લાખ રૂપિયા સુધી ના આવાસ ઋણ એટલે કે હોમ લોન પરના  વ્યાજ દરો ને ઓછા કરી 6.66 ટકા સુધી કરી દીધા છે. નવી દિલ્લી, આવાસ વિત્ત કંપની એલ.આઈ.સી. હાઉસિંગ ફાઇનાન્સે  શુક્રવારે 50 લાખ રૂપિયા સુધી ના આવાસ ઋણ એટલે  કે હોમે લોન પર વ્યાજ દરો ને ઘટાડી 6.66 ટકા કરી દીધા છે.

31 ઓગસ્ટ 2021 સુધીમાં આ નવા ભાવ લાગુ થઈ જશે. કંપની એ તેમની જાહેરાત માં કહ્યું છે કે નવી ટકાવારી નો ફાયદો નવા ગ્રાહકો ને જ થશે. હોમ લોન ના ક્ષેત્ર માં કંપની ની આ સૌથી ઓછા વ્યાજદરો ની જાહેરાત છે.તેમના કહેવા અનુસાર આ  ટકાવારી લોન લેવા વાળા ની લોન રાશી અનુસાર હશે. આ માટે તેમનો સિબિલ સ્કોર આધાર બનશે. 

ઘર ખરીદવાનું સપનું થશે પૂરું

એલ.આઈ.સી હાઉસિંગ ફાઇનાન્સ ના ડાયરેક્ટર અને મુખ્ય કાર્યપાલ અધિકારી સી.ઇ.ઑ  વાઇ. વિશ્વનાથ ગૌડ ની અનુસાર, મહામારી ના પ્રભાવ અનુસાર તેઓ એવી ટકાવારી ની જાહેરાત કરવા માગતા હતા જેથી જૂની ધારણાઓ ને સુધારવા માં મદદ મળે અને વધુમાં વધુ લોકો પોતાનું ઘર ખરીદી શકે. એમને આશા છે કે આ રીતે વ્યાજ દરો માં કરવામાં આવેલ ઘટાડો ગ્રાહકો નો વિશ્વાસ વધારશે. આનાથી આ ક્ષેત્ર માં તેજી ની પણ આશા છે. 

હોમવાઇ એપ પર આવેદન કરવું

ગૌડ ની અનુસાર 6.66 ટકા ના સૌથી ઓછા વ્યાજ દર પર આવાસ વિત્ત કંપની એ વધુ માં વધુ 30 વર્ષ માટે હોમ લોન ની જાહેરાત કરી છે. લોકો કંપની ના હોમવાઈ એપ ની મદદ થી હોમ લોન માટે આવેદન આપી શકે છે. આના વડે ઓનલાઈન મંજૂરી પણ મેળવી શકશે. જાહેરાત અનુસાર ગ્રાહક એલ.આઈ.સી હાઉસિંગ ફાઇનાન્સ ના કાર્યાલય માં આવ્યા વગર જ પોતાની લોન એપ્લીકેશન ની સ્થિતિ એટલે કે સ્ટેટસ જાણી શકે છે. 

[quads id=1]

Related Articles

Back to top button