સમાચાર

સેના અને આતંકીઓ વચ્ચે થયેલા ટકરાવ માં બે આતંકવાદીઓ માર્યા ગયા, આપણાં એક જવાન થયા શહીદ થયા.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓની હજુ ઓળખ થઈ નથી. એન્કાઉન્ટર પછી આ વિસ્તારને બંધ કરીને પોલીસ દ્વારા બધી પૂછપરછ ચાલુ કરવામાં આવી હતી. આતંકવાદીઓ પાસેથી એકે અમેરિકન એમ-4 અને એકે 47 મળી આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસો આતંકવાદીઓને ખતમ કરવા માટે એક ઝુંબેશ ચલાવી રહ્યા છે, તેમની આતંકવાદીઓ ના એન્કાઉન્ટર થઈ રહ્યા છે. શનિવારે સાંજે શોપિયાંમાં સેનાના જવાનો એ આંતકિયો નું એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં, સૈન્ય દ્વારા બે આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન એક જવાન શહીદ થયાના સમાચાર પણ છે.

આતંકવાદીઓ પાસેથી રહેવા માટેની વસ્તુઓ અને ખાવા માટેની વસ્તુઓ પણ મળી આવી છે. હજુ પણ પૂછપરછ ચાલુ છે.મહત્વની વાત એ છે કે શોપિયન જિલ્લામાં આ અઠવાડિયાની શરૂઆતમાં જ આતંકીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. શોપિયાં જિલ્લાના મણીહાલ વિસ્તારમાં તે મુકાબલામાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.

કહેવાય છે કે આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતીના આધારે પોલીસ અને સૈન્ય જૂથોની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.બચવા માટે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેના જવાબમાં સશસ્ત્ર જૂથો એ પણ જવાબી કાર્યવાહી કરી. સૈન્યના જવાબી કાર્યવાહીમાં ચારેય આતંકવાદીઓ માર્યા ગયા હતા.

[quads id=1]

Related Articles

Back to top button